ડૉ. આંબેડકર આવાસ યોજના 2024 | Dr. Ambedkar Awas Yojana Gujarat: મિત્રો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું ડૉ. આંબેડકર આવાસ યોજના વિશે. આમ તો આપણું ગુજરાત સમૃદ્ધ ગુજરાત છે. એક સમૃદ્ધ રાજ્ય છે પરંતુ આપણા ગુજરાતમાં પણ ઘણા કુટુંબો ઘર વિહોણા છે. તેમજ ઘણા કુટુંબોનને રહેવા માટે પાક્કા મકાનો પણ નથી. એટલા માટે આપણી રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના લોકો ને પાક્કા મકાન આપવા માટે એક યોજના બહાર પાડી છે. તેનું નામ આંબેડકર આવાસ યોજના છે. આ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે કુટુંબદીઠ 1,20,000રૂ. ની સહાય આપવામાં આવે છે. આ સહાય કુલ ત્રણ હપ્તામાં આપવામાં આવતી હોય છે. આ યોજના ઘર વિહોણા કુટુંબો માટે તો આશીર્વાદરૂપ નીવડે છે. હવે આપણે જાણીશું ડૉ. આંબેડકર આવાસ યોજના નું ફોર્મ કેવી રીતે ભરવું, ડોક્યુમેન્ટ કયા કયા જરૂરી છે અને અરજી માટેની પ્રક્રિયા કઈ છે.
જિલ્લા પંચાયત માં જમા કરાવવાની રહેશે.
જયારે ઘર સંપૂર્ણ રીતે બની જાય ત્યાર પછી ફરજિયાતપણે આંબેડકર આવાસ યોજના ની તકતી લગાવવાની રહેશે.
ડૉ. આંબેડકર આવાસ યોજના માટે મળવાપાત્ર લાભો
ઘર બાંધવા માટે કુલ ૧,૨૦,૦૦૦ ની સહાય મળવાપાત્ર થશે.
આ રકમ કુલ ત્રણ હપ્તામાં ચૂકવામાં આવશે.
આ યોજના હેઠળ લાભાર્થી ને પોતાનું પાક્કું ઘર મળશે.
પ્રથમ હપ્તો ૪૦,૦૦૦ નો બીજો હપ્તો ૬૦,૦૦૦ નો અને ત્રીજો હપ્તો ૨૦,૦૦૦ નો ચૂકવામાં આવશે.
પહેલા ૪૦,૦૦૦ ત્યાર પછી ૬૦,૦૦૦ અને લાસ્ટ માં ૨૦,૦૦૦ એમ આપવામાં આવે છે.
તે પૈકી પ્રથમ હપ્તો વહીવટી મંજૂરી ના હુકમ સાથે, ત્યાર પછી બીજો હપ્તો લિન્ટલ લેવલ પહોંચ્યા બાદ અને ત્રીજો હપ્તો શૌચાલય સહિત નું કામ પૂર્ણ થાય ત્યારે આપવામાં આવે છે.
યોજના માટે જરૂરી દસ્તાવેજો
અરજદાર નું આધાર કાર્ડ હોવું જોઈએ.
આવકનું પ્રમાણપત્ર જરૂરી છે.
રેશનકાર્ડ જોઈએ.
જાતિનો દાખલો હોવો જરૂરી છે.
રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ડ્રાઇવિંગ લાઇસન્સ/ભાડાકરાર,ચૂંટણી કાર્ડ/રેશન કાર્ડ) પૈકી કોઈપણ એક.
જમીન માલિકીનો પુરાવો
બેન્ક પાસબુક હોવી જરૂરી છે.
પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
જે જમીન પર મકાન બાંધવાનું હોય તે જમીન ના ક્ષેત્રફ્ળ દર્શાવતા નકશા ની નકલ
મકાન બાંધકામ ચિઠ્ઠી
સ્વ ઘોષણા પત્ર
જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ / જર્જરિત મકાન નો ફોટો
ડૉ. આંબેડકર આવાસ યોજના માટે અરજી કેવી રીતે કરવી?
સૌપ્રથમ ફોર્મ ભરવા માટે https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
ત્યાર પછી “New Registration” પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવાનું છે.
બધી જ માહિતી ભરીને સબમીટ કરી દેવાનું છે.
ત્યાર પછી તમારા મોબાઈલ માં Id અને પાસવર્ડ આવશે તેનાથી લોગીન કરવાનું રહેશે.
લોગીન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે તેમાંથી આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
ત્યાર પછી તમારી બધી માહિતી ભરવાની રહેશે.
માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી લાસ્ટ માં અરજી સેવ કરી લેવાની રહેશે.
અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ કરવાની છે.
અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં અરજી નંબર આવી જશે.
ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.

Post a Comment